ધર્મમૂર્તિ પ્રશમવિભૂષિત કરૂણામયી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની ૧૧૧ મી મંગલમય જન્મજયંતી મહોત્સવ શ્રાવણ સુદ-૧૩, શનિવાર, તા. ૧૭-૮-ર૦ર૪ થી શ્રાવણ વદ-ર બુધવાર, તા. ૨૧-૮-૨૦૨૪Download Schedule

શ્રી કહાનગુરુદેવાય નમઃ
શ્રી સીમંધર જિનવરાય નમઃ
વંદે ભગવતી માતરમ્

પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના શ્રુત-વાણીના ગંગા પ્રવાહથી સુવર્ણપુરી સમવસરણ સમ દિશી રહી છે.

– એવી આત્મ સાધનાની ઉત્કૃષ્ટ સાધના ભૂમિમાં શ્રી ગુજરાત-સૌરાષ્ટ્ર ભગવતી મહિલા મંડળ સાનંદે ઊજવે છે.

મહિલા મંડળ શિર છત્ર સ્વાત્માનુભવી પૂ્જ્ય બહેનશ્રી ચંપાબેનનો

૧૧૧ મો મંગલ વાર્ષિક જન્મોત્સવ

આમંત્રણ-પત્રિકા

શનિવાર, તા. ૧૭-૮-ર૦ર૪ થી બુધવાર, તા. ૨૧-૮-૨૦૨૪

આજ બેનનો જન્મદિન છેને ! બધાંને કેટલો ઉલ્લાસ દેખાય છે; એમને કાંઇ છે ? અધ્યાત્મમાં એમની સ્થિતિ ઉદાસ, ઉદાસ ને ઠરેલી છે.

બેન (પૂજ્ય બહેનશ્રી ચંપાબેન) તો મહાવિદેહથી આવ્યાં છે. એમના અનુભવની આ (વચનામૃત) વાણી છે. બેન તો (થોડાભવમાં) કેવળજ્ઞાની થશે.

- પૂજ્ય ગુરુદેવશ્રી
પૂ. બહેનશ્રી ચંપાબેન સ્વાનુભવવિભૂષિત ધર્મરત્ન ભગવતી પૂ. બહેનશ્રી ચંપાબેન

દિનદિન વૃદ્ધિમતી નિજ પરિણતિ વચનાતીત સુમંગલ હૈ, મંગલમુરતિ-મંગલપદમેં મંગલ-તીર્થ સુવંદન હૈ.

પૂજ્ય ગુરુદેવ તો આખા ભારતના જીવોને જાગૃત કર્યા છે. સૈંકડો વર્ષોમાં જે ચોખવટ નહોતી થઇ એટલી બધી મોક્ષમાર્ગની ચોખવટ કરી છે. નાનાં નાનાં બાળકો પણ સમજી શકે એવી ભાષામાં મોક્ષમાર્ગને ખુલ્લો કર્યો છે. અદભૂત પ્રતાપ છે. અત્યારે તો લાભ લેવાનો કાળ છે. ૩૪૬

- પૂજ્ય બહેનશ્રી

દેવાધિદેવ પરમ પૂજ્ય શ્રી મહાવીર ભગવાનના સ્વાનુભવ મુદ્રિત અધ્યાત્મ માર્ગના પાવન તથા વિદેહક્ષેત્રથી શ્રી સીમંધર સ્વામીના દિવ્ય સંદેશા ભારતમાં લાવનાર, શ્રીમદ્ ભાગવત્ આચાર્યશ્રી કુંદકુંદદેવના સમયસારાદિ પરમાગમોના રહસ્યોદ્ઘાટક, આત્મજ્ઞ સંત અધ્યાત્મમૂર્તિ પરમોપકારી પૂજ્ય કહાનગુરુદેવશ્રીની સ્વાનુભવ પરિણત આધ્યાત્મિક દશાનો, તેમની ‘ત્રિકાળ મંગળ દ્રવ્ય’ રૂપ અસાધારણ વિશેષતાનો તથા સમ્યકત્વ તીર્થ પ્રવર્તનરૂપ અનંત ઉપકારોનો, લોકોત્તર અદભૂત મહિમા જગતને સમજાવનાર પ્રશમમૂર્તિ, સ્વાનુભવ વિભૂષિત, વીતરાગ દેવ-ગુરુ ધર્મના અનુપમ ઉપાસક પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનો આપણા ઉપર મહાન ઉપકાર છે. જેમની પવિત્ર આધ્યાત્મિક સાધના અને સાતિશય જ્ઞાન-વૈરાગ્ય ભક્તિ માટે પૂજ્ય ગુરુદેવશ્રીને ઘણો જ અહોભાવ હતો અને મુમુક્ષુ જગતના હિતને અર્થે જેમની પ્રસિદ્ધિ ગુરુદેવને ઇષ્ટ હતી, એટલું જ નહિ પણ તેમની નિર્મળ સ્વાત્માનુભૂતિ, ધર્મોદ્યોતકારી સાતિશય જાતિસ્મરણજ્ઞાન, રગેરગમાં વ્યાપી ગયેલી નિર્માનતા, સ્ફટીક સમી સ્વચ્છ સરળતા, પ્રશમરસ નિતરતી ઉદાસીનતા અને સાગર સમાન ગંભીરતા ઇત્યાદિ પવિત્ર પરિણતિનો મહિમા કથવા માટે પોતાને શબ્દો ઓછા પડતા હતા અને જેમના વિષે ઊંડા આદર્શ આત્માર્થી પંડિતરત્ન શ્રી હિંમતભાઇ જે. શાહે તથ્ય સ્પર્શી ભાવવાહી કાવ્યો દ્વારા તેમનો પવિત્રતા પૂર્ણ મહિમાકર્યો છે.

આવાં ધર્મમૂર્તિ પ્રશમવિભૂષિત કરૂણામયી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની ૧૧૧ મી મંગલમય જન્મજયંતી અતિ ઉલ્લાસપૂર્વક ઊજવવાનું પરમ સૌભાગ્ય અમને – શ્રી ગુજરાત સૌરાષ્ટ્ર ભગવતી મહિલા મંડળને – શ્રીદિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢની અનુમતિથી સંપ્રાપ્ત થયું છે. આ અસાધારણ સૌભાગ્યનો અલભ્ય લાભ લેવા અને મહિલા મંડળના આનંદોત્સાહમાં વૃદ્ધિ કરવા દૈશ-વિદેશના સમસ્ત મુમુક્ષુ સમાજને આ મંગલ પ્રસંગે સુવર્ણપુરી પધારવા ધર્મ વાત્સલ્યભીનું હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

આ ઉત્સવ સંતસાધનાભૂમિ અધ્યાત્મ અતિશયક્ષેત્ર શ્રીસુવર્ણપુરી મધ્યે, શ્રાવણ સુદ-૧૩, શનિવાર, તા. ૧૭-૮-ર૦ર૪ થી શ્રાવણ વદ-ર બુધવાર, તા. ૨૧-૮-૨૦૨૪ – એમ પાંચ દિવસ સુધી શ્રી સમવસરણ મંડલવિધાન પૂજા, પૂજ્યગુરુદેવશ્રીનાં સ્વાનુભવ રસભીના કલ્યાણકારી સી.ડી. પ્રવચનો, પૂજ્ય બહેનશ્રીની વિડીયો તત્વચર્ચાઓ આદિ જ્ઞાન તેમજ ભક્તિની આત્મહિતકારી ઉપાસનાના અનેકવિધ રોચક કાર્યક્રમો સહ ઊજવવામાં આવશે. તો આવાં આપણાં પરમોપકારી, કલ્યાણમૂર્તિ, પૂજ્ય બહેનશ્રીની ભક્તજન આનંદકારી જન્મજયંતીના આ મંગલ મહોત્સવનો અનુપમ લાભ લેવા આપ સૌને સપરિવાર તેમજ સાધર્મી મુમુક્ષુમંડળ સહિત સોનગઢ પધારવાનું અમારું ધર્મવાત્સલ્યભીનું હાર્દીક આમંત્રણ છે.

માત જન્મ મહોત્સવના આ આનંદકારી અવસરે પધારવાથી અધ્યાત્મ સાધનાતીર્થના સર્વજિનાલયોમાં બિરાજમાન વીતરાગી જિનબિંબોના, કૃત્રિમ પહાડપર વિશાળકાય પ્રતિષ્ઠિત બાહુબલી મુનિવર, જંબૂદ્વીપમાં બિરાજિત શાશ્વતા જિનબિંબોના, શ્રી પંચબાલયતિ ભગવંતોના, શ્રી કુંદકુંદ પ્રવચન મંડપમાં નૂતન પ્રતિષ્ઠિત જિનભગવંતોનાદર્શન-પૂજન-ભક્તિનો, પૂજ્ય ભગવતીમાતાના માર્ગદર્શન તળે પ્રવચનમંડપ મધ્યે નિર્મિતભવ્ય ‘શ્રીકહાનગુરુ પ્રભાવનાદર્શન’ નો, શિક્ષણ શિબિરનો તથા ઘાટકોપર, વઢવાણ, મલાડ તથા બોરીવલીની દિ. જૈન ભજન મંડળી દ્વારા ભક્તિનો તેમજ અમારા શ્રી ભગવતી મહિલા મંડળના બહેનો દ્વારા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમને માણવાનો લાભ મળશે.

નિજ આત્મકલ્યાણના હેતુભૂત, માત જન્મ મહોત્સવના અનુપમ પ્રસંગે આપ સૌને સોનગઢ અવશ્ય પધારવા અમારૂ અતિ આગ્રહભર્યું પુનઃ પુનઃ નિમંત્રણ છે.

વિશેષ આકર્ષણો

  • આરાધના ઓડીટોરીયમમાં પૂજ્ય ભગવતી માતા તથા સતીઓની શોર્ટ ફીલ્મ
  • ‘જ્ઞાન – વૈભવ’ ભવ્ય નાટક – ભગવતી મહિલા મંડળ દ્વારા ભજવવામાં આવશે.
  • ભગવતી કાર્નિવલઃ વિવિધ જ્ઞાનસભર રમતો (Games)
  • સમ્યકત્વ સન્મુખ : દરરોજ ઓનલાઇન મોબાઇલ ક્વીઝ (માતાજીના સ્વાનુભૂતિ દર્શન)

આમંત્રણ પત્રિકા નિજ નિવાસસ્થાનેથી વાજતે-ગાજતે પરમાગમમંદિરમાં લાવવાનો તેમજ પત્રિકા વાંચનનો લાભ બ્ર. શ્રી કોકીલાબેન તથા શ્રીરૂપાબેનને પ્રાપ્ત થયેલ છે.

પ્રેષક : 
શ્રી ગુજરાત-સૌરાષ્ટ્ર ભગવતી મહિલા મંડળ
C/o. શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ – ૩૬૪૨૫૦
સંપર્ક : (૦૨૮૪૬) ૨૪૪૩૩૪

લિ. : 
શ્રી ગુજરાત-સૌરાષ્ટ્ર ભગવતી મહિલા મંડળ
-ના જય જિનેન્દ્ર

તા. ૦૫-૦૫-૨૦૨૪ રવિવાર થી તા. ૦૭-૦૫-૨૦૨૪ મંગળવાર સુધીનો કાર્યક્રમ (કાર્યક્રમનું જીવંત પ્રસારણ www.kanjiswami.org તથા Youtube પર કરવામાં આવશે.)

  • ૦૫:૪૦ થી ૦૫:૫૫ મંગલ ગાન પ્રભાત ફેરી
  • ૦૫:૫૫ થી ૦૬:૧૦ પૂ. ગુરુદેવશ્રીનું માંગલિક, પૂ. બહેનશ્રીનું માંગલિક તથા જયમાલા
  • ૦૬:૧૦ થી ૦૬:૪૦ પૂજ્ય બહેનશ્રીની તત્વચર્ચા-પૂજ્ય ગુરુદેવશ્રીના આર્શિવચન ઉદ્દગાર
  • ૦૬:૪૦ થી શ્રી જિનેન્દ્ર અભિષેક
  • ૦૭:૪૫ થી ૦૮:૪૫ સુવર્ણપુરીમાં બિરાજમાન જિનેન્દ્ર ભગવંતોની વિધાન પૂજન
  • ૦૯:૦૦ થી ૧૦:૦૦ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન (શ્રી સમયસારજી ઉપર)
  • ૧૦:૦૦ થી ૧૦:૧૫ જાહેરાત તથા પૂ. ગુરુદેવશ્રી પ્રત્યેની ભક્તિ
  • ૧૦:૧૫ થી ૧૧:૧૫ શાસ્ત્ર સ્વાધ્યાય – ધાર્મિક શિક્ષણ વર્ગ
  • ૦૩:૦૦ થી ૪:૦૦ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન (શ્રી નિયમસારજી ઉપર)
  • ૪:૦૦ થી ૪:૩૦ શ્રી જિનેન્દ્ર ભક્તિ
  • ૪:૩૦ થી ૫:૩૦ શાસ્ત્ર સ્વાધ્યાય – ધાર્મિક શિક્ષણ વર્ગ
  • ૬:૩૦ થી ૭:૧૫ ભક્તિ મંગલ – ભજન સંધ્યા
  • ૭:૧૫ થી ૭:૩૫ પૂજ્ય બહેનશ્રીની તત્વ ચર્ચા
  • ૭:૪૫ થી ૮:૪૫ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન (શ્રી પદ્મનંદી પંચવિશંતી ઉપર)
  • ૮:૪૫ થી સાંસ્કૃતિક કાર્યક્રમ

તા. ૦૮-૦૫-૨૦૨૪ બુધવારનો કાર્યક્રમ (કાર્યક્રમનું જીવંત પ્રસારણ www.kanjiswami.org તથા Youtube પર કરવામાં આવશે.)

  • ૦૫:૪૦ થી ૦૫:૫૫ મંગલ ગાન પ્રભાત ફેરી
  • ૦૫:૫૫ થી ૦૬:૧૦ પૂ. ગુરુદેવશ્રીનું માંગલિક, પૂ. બહેનશ્રીનું માંગલિક તથા જયમાલા
  • ૦૬:૧૦ થી ૦૬:૪૦ પૂજ્ય બહેનશ્રીની તત્વચર્ચા-પૂજ્ય ગુરુદેવશ્રીના આર્શિવચન ઉદ્દગાર
  • ૦૬:૪૦ થી શ્રી જિનેન્દ્ર અભિષેક
  • ૦૭:૧૫ થી શ્રી જિનેન્દ્ર રથયાત્રા
  • ૮:૪૫ થી ૯:૪૫ સુવર્ણપુરીમાં બિરાજમાન જિનેન્દ્ર ભગવંતોની વિધાન પૂજન
  • ૧૦:૦૦ થી ૧૧:૦૦ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન (શ્રીસમયસારજી ઉપર)
  • ૧૧:૦૦ થી ૧૧:૧૫ જાહેરાત તથા ગુરુદેવશ્રીની ભક્તિ
  • ૩:૦૦ થી ૪:૦૦ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન (શ્રી સમયસારજી ઉપર)
  • ૪:૦૦ થી ૪:૩૦ શ્રી જિનેન્દ્ર ભક્તિ
  • ૪:૩૦ થી ૫:૩૦ શાસ્ત્ર સ્વાધ્યાય – ધાર્મિક શિક્ષણ વર્ગ
  • ૬:૩૦ થી ૭:૧૫ ભક્તિ મંગલ-ભજન સંધ્યા
  • ૭:૧૫ થી ૭:૩૫ પૂજ્ય બહેનશ્રીની તત્વ ચર્ચા
  • ૭:૪૫ થી ૮:૪૫ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન (શ્રી પદ્મનંદી પંચવિશંતી ઉપર)
  • ૮:૪૫ થી સાંસ્કૃતિક કાર્યક્રમ

મંગલકારી જન્મોત્સવ દિવસ તા. ૦૯-૦૫-૨૦૨૪ ગુરુવારનો કાર્યક્રમ (કાર્યક્રમનું જીવંત પ્રસારણ www.kanjiswami.org તથા Youtube પર કરવામાં આવશે.)

  • ૦૫:૩૦ થી ૦૫:૪૫ મંગલ ગાન પ્રભાતફેરી
  • ૦૫:૪૫ થી ૦૬:૦૦ પૂ. ગુરુદેવશ્રીનું માંગલિક, પૂ. બહેનશ્રીનું માંગલિક તથા જયમાલા
  • ૦૬:૦૦ થી ૦૬:૩૫ દેવ-શાસ્ત્ર-ગુરુ દર્શન તથા જન્મ વધામણાં તેમજ તત્વચર્ચા-પૂજ્ય ગુરુદેવશ્રીના આર્શિવચન ઉદ્દગાર
  • ૦૬:૪૦ થી શ્રી જિનેન્દ્ર અભિષેક
  • ૦૭:૪૫ થી ૦૮:૪૫ સુવર્ણપુરીમાં બિરાજમાન જિનેન્દ્ર ભગવંતોની વિધાન પૂજન
  • ૯:૦૦ થી ૧૦:૦૦ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન (શ્રી સમયસારજી ઉપર)
  • ૧૦:૦૦ થી જાહેરાત તથા ગુરુદેવશ્રીની વધામણાં
  • ૩:૦૦ થી ૪:૦૦ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન (શ્રી નિયમસારજી ઉપર)
  • ૪:૦૦ થી ૪:૩૦ શ્રી જિનેન્દ્ર ભક્તિ
  • ૪:૩૦ થી ૫:૩૦ શાસ્ત્ર સ્વાધ્યાય – ધાર્મિક શિક્ષણ વર્ગ
  • ૭:૪૫ થી ૮:૪૫ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન (શ્રી પદ્મનંદી પંચવિશંતી ઉપર)