calenderIcon 17 July, 2024

amantran_patrika_fullsize

calenderIcon 5 May, 2024

gurudevshri

આ ભારતવર્ષની પુણ્ય ભૂમિમાં અવતાર લઈને જે મહાપુરૂષે પ્રવર્તમાન ચોવીસીના ચરમ તીર્થંકર દેવાધિદેવ પરમ પૂજ્ય 1008 શ્રી મહાવીરસ્વામી દ્વારા પ્રરૂપિત તથા તદામ્નાયાનુવર્તી આચાર્યશિરોમણિ શ્રીમદ્-ભગવત્કુંદકુંદાચાર્યદેવ દ્વારા સમયસાર આદિ પરમાગમોમાં સુસંચિત શુદ્ધાત્મદ્રવ્યપ્રધાન અધ્યાત્મતત્વામૃતનું પોતે પાન કરીને વિક્રમની આ વીસ-એકવીસમી શતાબ્દીમાં આત્મસાધનાના પાવન પંથનો પુનઃ સમુદ્યોત કર્યો છે, રૂઢિગ્રસ્ત સાંપ્રદાયિકતામાં ફસાયેલા જૈનજગત ઉપર જેમણે, જિનાગમ, સમ્યક્ પ્રબળ યુક્તિ અને સ્વાનુભવથી દ્રવ્યદૃષ્ટિપ્રધાન સ્વાત્માનુભૂતિમૂલક વીતરાગ જૈનધર્મને પ્રકાશમાં લાવીને, અનુપમ, અદ્-ભુત અને અનંત-અનંત ઉપકારો કર્યા છે, પિસ્તાળીસ-પિસ્તાળીસ વર્ષના સુદીર્ઘ કાળ સુધી જેમનો નિવાસ, દિવ્ય દેશના તેમ જ પુનિત પ્રભાવનાયોગે સોનગઢ (સૌરાષ્ટ્ર)ને એક અનુપમ ‘અધ્યાત્મતીર્થ’ બનાવી દીધું છે. એવા સૌરાષ્ટ્રના આધ્યાત્મિક યુગપુરૂષ પૂજ્ય ગુરૂદેવ શ્રી કાનજીસ્વામીનો પવિત્ર જન્મ સૌરાષ્ટ્રના (ભાવનગર જિલ્લાના) ઉમરાળા ગામમાં વિ.સં.1890 (ઈ.સ.1946) વૈશાખ સુદ બીજ, રવિવારના શુભ દિને થયો હતો.

calenderIcon 31 March, 2024

calenderIcon 19 January, 2024

banner1pratistha

વીતરાગી સર્વજ્ઞ ભગવંતોની પાવન પરંપરામાં શ્રીમદ્ ભગવત્ કુંદકુંદ આચાર્ય આદિ સર્વ આચાર્યો દ્વારા વૃદ્ધિંગત જિનમાર્ગના રહસ્ય ઉદ્ઘાટક પરમ તારણહાર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી અને ધર્મરત્ન ભગવતીમાતા પૂજ્ય બહેનશ્રી ચંપાબહેનના મંગલ આશિષ તળે તેઓની સાધનાભૂમિ સોનગઢ સુવર્ણપુરી મધ્યે નવનિર્મિત બાહુબલિ મુનીન્દ્ર ભગવાન તથા જંબુદ્વીપના શાશ્વત જિનબિંબોના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન જાન્યુઆરી ૨૦૨૪ માં નિર્ધારિત થયેલ છે. તે સાથે તા. ૨૬-૦૧-૨૦૨૪ના રોજ શ્રી બાહુબલિ મુનીન્દ્ર ભગવાનનો મહામસ્તક અભિષેકનો કાર્યક્રમ છે.

આ ભગીરથ કાર્યનું આયોજન સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તથા પ્રતિષ્ઠા કમીટી ખૂબ જ મહેનતથી કરી રહેલ છે.

પ્રતિષ્ઠા મહોત્સવની સફળતા માટે તથા સુયોગ્ય સંચાલન થાય તે હેતુથી વિવિધ કમીટીની રચના કરવામાં આવશે.

આ મહામંગળ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા માટે તન-મન-ધન થી સર્વસ્વ સમર્પણનો સુવર્ણકાળ આવી પહોંચ્યો છે. જે ભાઇઓ તથા બહેનો તેમજ યુવા સાથીઓ સ્વયંસેવક તરીકે પોતાની કાર્યકુશળતા મુજબ જોડાવા ઈચ્છતા હોય તેઓએ આપેલ Google Form નો QR Code Scan કરીને પૂરતી વિગતો ભરી સબમિટ (Submit) કરી દેવું.

લી,

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ
મહામંગલ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ કમીટી

QR

calenderIcon 23 May, 2010

તા.૨૩/૦૫/૨૦૧૦ ના રોજ બેંગલોર થી સુવર્ણપુરી (સોનગઢ) માં બીરાજમાન થવાવાળા શ્રી બાહુબલી મુનિવર ના ૪૧ ફૂટ ઉંચા જિનબિંબ નો અતિઉત્સાહ તેમજ ભક્તિ ઉલ્લાસ પુર્વક સોનગઢ તરફ પ્રસ્થાનનો મંગળ કાર્યક્રમ થયો તેનો વિસ્ત્રુત અહેવાલ હવે પછી આપવામાં આવશે.

patrika1