Banner

સ્વયંસેવક રજીસ્ટ્રેશન

Banner

પ્રતિષ્ઠા મહોત્સવ – 19/01/2024 થી 25/01/2024 સુધી

વીતરાગી સર્વજ્ઞ ભગવંતોની પાવન પરંપરામાં શ્રીમદ્ ભગવત્ કુંદકુંદ આચાર્ય આદિ સર્વ આચાર્યો દ્વારા વૃદ્ધિંગત જિનમાર્ગના રહસ્ય ઉદ્ઘાટક પરમ તારણહાર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી અને ધર્મરત્ન ભગવતીમાતા પૂજ્ય બહેનશ્રી ચંપાબહેનના મંગલ આશિષ તળે તેઓની સાધનાભૂમિ સોનગઢ સુવર્ણપુરી મધ્યે નવનિર્મિત બાહુબલિ મુનીન્દ્ર ભગવાન તથા જંબુદ્વીપના શાશ્વત જિનબિંબોના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન જાન્યુઆરી ૨૦૨૪ માં નિર્ધારિત થયેલ છે. તે સાથે તા. ૨૬-૦૧-૨૦૨૪ના રોજ શ્રી બાહુબલિ મુનીન્દ્ર ભગવાનનો મહામસ્તક અભિષેકનો કાર્યક્રમ છે.

આ ભગીરથ કાર્યનું આયોજન સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તથા પ્રતિષ્ઠા કમીટી ખૂબ જ મહેનતથી કરી રહેલ છે.

પ્રતિષ્ઠા મહોત્સવની સફળતા માટે તથા સુયોગ્ય સંચાલન થાય તે હેતુથી વિવિધ કમીટીની રચના કરવામાં આવશે.

આ મહામંગળ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા માટે તન-મન-ધન થી સર્વસ્વ સમર્પણનો સુવર્ણકાળ આવી પહોંચ્યો છે. જે ભાઇઓ તથા બહેનો તેમજ યુવા સાથીઓ સ્વયંસેવક તરીકે પોતાની કાર્યકુશળતા મુજબ જોડાવા ઈચ્છતા હોય તેઓએ આપેલ Google Form નો QR Code Scan કરીને પૂરતી વિગતો ભરી સબમિટ (Submit) કરી દેવું.

લી,
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ
મહામંગલ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ કમીટી

QR
Banner

स्वयंसेवक पंजीकरण

Banner

प्रतिष्ठा महोत्सव – 19/01/2024 से 25/01/2024

वीतरागी सर्वज्ञ भगवंतों की पावन परंपरा में श्रीमद् भगवत् कुंदकुंद आचार्य आदि अनेक दिगंबर आचार्यों द्वारा वृद्धिंगत व जिनमार्ग के रहस्य उदघाटक परम तारणहार पूज्य गुरुदेवश्री कानजीस्वामी और भगवती माता पूज्य बहिनश्री चम्पाबेन के मंगल आशीषपूर्वक उनकी साधना भूमि सुवर्णपुरी सोनगढ़ में नवनिर्मित बाहुबली मुनींद्र भगवान और जम्बूद्वीपके शाश्वत जिनबिम्बों के पंचकल्याणक प्रतिष्ठा महोत्सव का आयोजन जनवरी 2024 में निश्चित हुआ है और दि. 26/01/2024 को श्री बाहुबली मुनीन्द्र भगवान का महामस्तकाभिषेक का कार्यक्रम निश्चित किया गया है।

इस पवित्र कार्य का आयोजन सोनगढ़ स्वाध्याय मंदिर ट्रस्ट एवं प्रतिष्ठा समिति बहुत ही परिश्रम पूर्वक कर रही है ।

प्रतिष्ठा महोत्सव की सफलता एवं सुयोग्य संचालन हेतु विविध समितियों का निर्माण किया जाना है ।

हमारे लिए इस महामंगल प्रतिष्ठा महोत्सव में तन-मन-धन से सर्वस्व समर्पण का सुवर्णकाल आया है। जो भाई एवं बहिन तथा युवा साथी स्वयं सेवक के रूप में अपनी-अपनी कार्यकुशलता के अनुसार जुड़ना चाहते हैं, वे दिए गए Google Form का QR Code Scan करके पर्याप्त विवरण भरें और सबमिट (Submit) करें।

प्रेषक,
श्री दिगंबर जैन स्वाध्याय मंदिर ट्रस्ट, सोनगढ़
महामंगल पंचकल्याणक प्रतिष्ठा महोत्सव समिति

QR